ગુજરાત
News of Friday, 18th January 2019

વલસાડમાં દાદાગીરીની વ્યાપક ફરિયાદ:વૃદ્ધ રિક્ષામાં બ બેસતા ચાલકે ઢોરમાર માર્યો

વલસાડ: શહેરમાં રીક્ષા ચાલકોની બેફામ દાદાગીરીની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. રીક્ષામાં બેસાડવાના મુદ્દે ખાસ કરીને હાઇવે પર દોડતા રીક્ષા ચાલકો અવાર-નવાર લડાતા રહેતા હોય છે. તેમજ મુસાફરોને ધમકાવતા હોય છે, પરંતુ હવે શહેરના રીક્ષા ચાલકો પણ મુસાફરોને ધમકાવતા હોવાનું બહાર આવ્યું છે. મોટા તાઇવાડ વિસ્તારમાં એ વૃદ્ધાને રીક્ષા ચાલકે મારી રીક્ષામાં કેમ બેસતી નથી કહી માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ મોટા તાઇવાડમાં રહેતા સલમાબેન શેખને પગમાં ફ્રેકચર થયું હતુ. તેઓ છેલ્લા ૨ દિવસથી મુકેશ મોદીની રીક્ષામાં હોસ્પિટલ જઇ રહ્યા હતા, પરંતુ તેમનંઈ ભાડું વધુ લાગતા સમલાબેને તેમની રીક્ષામાં જવાનું માંડી વાળ્યું હતુ. જેનાથી ઉશ્કેરાઇ જઇ મુકેશ મોદીએ સલમાબેનને જણાવ્યું કે, તમે મારી રીક્ષામાં કેમ નથી જતા કહી ઝગડો કર્યો હતો અને ધક્કો માર્યો હતો. 

 

(5:47 pm IST)