News of Friday, 18th January 2019
આણંદના ખંભોળજમા પતિને ઊંઘતો મૂકી પત્ની રફુચક્કર થઇ જતા ચકચાર
આણંદ:જિલ્લાના ખંભોળજ પોલીસ મથકની હદના ભટોડા ગામે દાનસીંગપુરા ખાતે રહેતી ત્રેવીસ વર્ષીય પરિણીતા ગઈકાલે મોડીરાત્રી દરમ્યાન ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ હોવાના સમાચાર વહેલી સવારના સ્થાનિક રહીશોને જાણવા મળ્યા ત્યારે ચકચાર મચી ગઈ હતી.દરમ્યાન પરિણીતાના પતિ દિનેશભાઈ અરવિંદભાઈ ઠાકોર આ ઘટનાની જ ાણ કરતાં ખંભોળજ પોલીસે ગુમ થયાની જાણવાજોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(5:43 pm IST)