ગુજરાત
News of Tuesday, 17th November 2020

કોરોના ઈફેક્ટ : અમદાવાદ રીવરફન્ટ પર યોજાતી છઠ પૂજાનું આયોજન નહીં થાય

અમદાવાદ : કોરોનાની મહામારીને લઇને અમદાવાદ રીવરફન્ટ પર યોજાતી છઠ પૂજા નહી યોજવા નિર્ણંય કરાયો છે ,આગામી 20-21 નવેમ્બરના રોજ છઠ પર્વ આવી રહ્યું છે ત્યારે તેની ઉજવણી ઘરે કરવાની રહેશે. અમદાવાદ શહેરમાં 15 વર્ષથી રીવરફન્ટ પાસે ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનું આયોજન કરવામા આવે છે. જેમા દર વર્ષે મોટી સંખ્યામાં બિહાર ઉતર ભારતીય લોકો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને લીધે આયોજન કરાયુ નથી  અમદાવાદમાં 8થી 10 લાખ જેટલા ઉતર ભારતીયો વસવાટ કરે છે અને છઠ પૂજામા 600 જેટલા વ્રતીઓ અને 50 થી 70 હજાર લોકો ભાગ લેતા હોય છે.

(11:48 pm IST)