News of Tuesday, 17th November 2020
તહેવારો ટાણે અમદાવાદના ઢાલગરવાડમાં પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન
AMC માં ઓનલાઇન ફરિયાદ છતાં જવાબ આપનારું કોઈ નથી
અમદાવાદ : દિવાળીના તહેવારો ટાણે અમદાવાદના ઢાલગરવાડમાં પીવાનું પાણી આવતું નથી. તહેવારોના સમયે જ કોર્પોરેશની ગલીમાં જ છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી નહી આવતા લોકો પરેશાન થયા હતા.અમદાવાદ જેવા મહાનગરમાં પણ પાણી નહી મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. AMC માં ઓનલાઇન ફરિયાદ છતાં જવાબ આપનારું કોઈ નથી. શિયાળાની શરૂઆતમાં પીવાના પાણીની સમસ્યા થતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉભા થયા છે.
(11:26 pm IST)