રાજ્યમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા : વધુ 1116 દર્દીઓ સ્વસ્થ થયા : કુલ કેસનો આંક 1,90,361 થયો : કુલ 1,74,088 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 3815 થયો
આજે સૌથી વધુ અમદાવાદમાં 234 કેસ, સુરતમાં 180 કેસ, વડોદરામાં 133 કેસ, રાજકોટમાં 92 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, બનાસકાંઠામાં 52 કેસ, પાટણમાં 34 કેસ, મહીસાગરમાં 25 કેસ, કચ્છમાં 23 કેસ, જામનગરમાં 22 કેસ, દાહોદમાં 18 કેસ, આણંદમાં 17 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,458 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 1116 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1125 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3815 પર પહોંચ્યો છે
. રાજ્યમાં હાલ 12,458 એક્ટિવ કેસ છે, જ્યારે 1,74,088 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,384 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 90,361 સુધી પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1,સુરતમાં 1 મળીને કુલ 7 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1125 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 234 કેસ ,સુરતમાં 180 કેસ, વડોદરામાં 133 કેસ,રાજકોટમાં 92 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, બનાસકાંઠામાં 52 કેસ,પાટણમાં 34 કેસ, મહીસાગરમાં 25 કેસ, કચ્છમાં 23 કેસ,જામનગરમાં 22 કેસ,દાહોદમાં 18 કેસ,આણંદમાં 17 કેસ નોંધાયા છે
આજે રાજ્યમાં 47,328 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 69,23,993 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,45 ટકા થયો છે