ગુજરાત
News of Sunday, 17th November 2019

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જગદિશભાઇ કાવજીભાઇ કટારાનું માર્ગ અકસ્માતમાં કરૂણમોત

નોકરી પુરી કરીને પોતાના વતનમાં જતા વેળાએ અકસ્માત

 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાઇક પર સવારથી પોતાના વતનમાં જતા હતા. ખેડબ્રહ્માથી ગ્રામ્ય માર્ગ તરફ જતાં અચાનક અકસ્માત થયો હતો. પોલીસ કોન્સ્ટેબલે માર્ગ અકસ્માતને પગલે ઘટનાસ્થળે દમ તોડી દીધો હોવાનું પ્રાથમિક માહિતિ મુજબ જાણવા મળ્યુ છે.   

  કોન્સ્ટેબલ જગદિશભાઇ નોકરી પુરી કરીને પોતાના વતનમાં જતા હતા. દરમ્યાન ગ્રામ્ય માર્ગ પર અચાનક અકસ્માતમાં સર્જાયો હતો. રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતા વિજયનગર જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરંતુ તેમના મોત પાછળનું કારણ હજી પણ અકબંધ છે.

(12:13 am IST)