ગુજરાત
News of Sunday, 17th November 2019

નર્મદા નદીમાં ન્હાવા પડેલા મહીસાગરના મુડાવડેખ ગામના ત્રણ યુવકોના મોત

પાંચ કલાકની શોધ બાદ પણ લાશ ન મળતા પરિવાર નર્મદા કિનારે અટવાયો

નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ મહીસાગર મુડાવડેખ ગામના ત્રણ યુવકોના મોત થતા ગામમાં શોકની લાગણી વ્યાપી છે.છેલ્લા  પાંચ કલાકની શોધ બાદ પણ લાશ ન મળતા પરિવાર નર્મદા કિનારે અટવાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

(10:07 pm IST)