ગુજરાત
News of Saturday, 17th November 2018

ચૂંટણીની અસર? આખો જસદણ મત વિસ્તાર સરકારી સહાયનો લાભાર્થી

જસદણ સહિત વધુ ૮ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાશે

 ગાંધીનગર : આજે બપોરે રાજયના મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને રાજયમા ંઉભી થતી જતી દુષ્કાળની પરિસ્થિતિ અંગે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ૭ થી ૮ નવા તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સાંજ સુધીમાં સતાવાર જાહેરાત થાય તેવા નિર્દેશ છે.

આ બેઠક બોલાવવા પાછળનું મુખ્ય કારણ જસદણની વિધાનસભાની પેટાચુંટણી આગામી સપ્તાહમાં જાહેર થઇ રહી છે.તે પૂર્વે આ જાહેરાત આજે રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ કરવાના છે.

આ જાહેરાત વખતે રાહત કમિશ્નરશ્રી મુકેશ કોઠારી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ લખાઇ રહ્યું છે ત્યારે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવી રહ્યા છે.

(5:01 pm IST)