ગુજરાત
News of Thursday, 18th October 2018

ભારત સરકારની તમામ સરકારની કચેરીમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

અમદાવાદ :ભારત સરકારને આધીન તમામ સરકારી કચેરીઓમાં 15.10.2018 થી 31.10.2018 સુધી "સ્વચ્છતા પખવાડીયા" તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાનમાં સેન્ટ્રલ જીએસટી, અમદાબાદ નોર્થની કમિશ્નર કચેરી દ્વારા સ્વચ્છતા રાખવાના શપથ ગ્રહણ લેવામા આવ્યા.

સરકારી ઓફિસ તથા સરકારી કોલોનીમાં સ્વચ્છતા અભિયાન તથા જાગરણ માટે કમિશ્નર શ્રીં જે. એ. ખાન, જોઈન્ટ કમિશ્નર શ્રી જ્ઞાન ચંદ જૈન, ડેપ્યુટી કમિશ્નરશ્રીમતી મુકેશ કુમારી તથા શ્રી ધર્મરાજ સિંહ ચૌહાણ અનેકાર્યાલયના અધિકારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

(11:42 pm IST)