ગુજરાત
News of Wednesday, 17th October 2018

સુરતના લિંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને સરકાર દ્વારા ચાર લાખની સહાય:ચેક અપાયો

સુરતના લિંબાયત વિસ્તારની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે રાજ્ય સરકાર દ્વારા પીડિત બાળકીના પરિવારને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

  લિંબાયત સ્થિત ગોદાદરામાં આવેલ સોમેશ્વર સોસાયટીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નવસારીના સાંસદ સી આર પાટીલે બાળકીના પરિવારને સહાયની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારના અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ દ્વારા પીડિત બાળકીના પરિવારને ચાર લાખ વીસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

(11:34 pm IST)