ગુજરાત
News of Wednesday, 17th October 2018

ગાંધીનગરમાં આદ્યાશકિતની આરતી ઉતારતા નીતિન પટેલ - જીતુ વાઘાણી

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ મા આદ્યશકિતની આરતી ઉતારી હતી.ઙ્ગગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ અને શ્રી પુનમભાઈ મકવાણા, ગાંધીનગરના પૂર્વ મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા શ્રી હિમાંશુ પટેલે પણ આરતી ઉતારી હતી.ઙ્ગનવરાત્રી હવે ઉત્તરાર્ધ પ્રતિ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગ માં ભરતી આવી છે.ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં લોકો ખાસ ગરબા સાંભળવા માટે પણ આવે છે. (૨૧.૧૩)

 

(12:02 pm IST)