ગુજરાત
News of Friday, 17th September 2021

રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો વધારો : નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.466 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદમાં 11 કેસ,સુરતમાં 8 કેસ, વડોદરામાં 3 કેસ,ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા : હાલમાં 154 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 20 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.466 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

   રાજ્યમાં હાલ 154 એક્ટિવ કેસ છે, જેમાંથી 7  લોકો વેન્ટિલેટર પર અને 147 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.466  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 25 કેસમાં અમદાવાદમાં 11 કેસ,સુરતમાં 8 કેસ, વડોદરામાં 3 કેસ,ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં  1-1 કેસ નોંધાયો છે

(8:25 pm IST)