ગુજરાત
News of Tuesday, 17th September 2019

અમદાવાદના ચાંદલોડિયામાં યુવકનું અપહરણ કરી ત્રણ શખ્સોએ મારઝૂડ કર્યો: મોબાઈલ સહીત સોનાની ચેઇન લૂંટી રફુચક્કર

અમદાવાદ: શહેરના ચાંદલોડીયામાં રહેતા યુવકનું અપહરણ કરીને ત્રણ શખ્સોએ તેને મારઝુડ કરીને રોકડ રકમ, મોબાઈલ અને સોનાની ચેઈન લુંટી લીધા હતા. આરોપીઓેએ યુવકને તારા શેઠ સાથે જુની અદાવત છે કહીને તેને ફોન કરીને બોલાવવા દબાણ કર્યું હતું. યુવકને બાદમાં તેમણે સાબરમતી વિસ્તારમાં છોડી દીધો હતો. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ચાંદલોડીયામાં રહેતો સદીપ આર.યાદવ(૨૫) દરિયાપુરમાં ફાયનાન્સ રિકવરીની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. ૧૫ સપ્ટેમ્બરના રોજ તે ઓફિસેથી નીકળીને એક્ટીવા પર ગોતા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. બ્રિજના છેડે બાઈક અને એક્ટીવા પર આવેલા ત્રણ શક્સોએ તેને અટકાવીને મારઝુડ કરી હતી. સંદીપે મને કેમ મારો છો એમ પુછતા એક શખ્સે હું ટાઈગર છું અને તારા શેઠ કુંજલ પટેલ સાથે જુની અદાવત છે તેને ફોન કરીને અહીં બોલાવ, એમ કહ્યું હતું. આ શખ્સોએ સંદીપના ગજવામાંથી પગારના આઠેક હજાર રોકડા, સેનાની ચેઈન અને મોબાઈલ લુંટી લીધો હતો.

(5:20 pm IST)