ગુજરાત
News of Monday, 16th September 2019

અમદાવાદના અમરાઈવાડીમાં મકાન દુર્ઘટનાના અસરગ્રસ્તોને સહાય નહિ મળતા ઉપવાસ-ધરણા

તંત્રએ કાટમાળ અને તૂટેલી ડ્રેનેજ લાઈનો અંગે પણ કાર્યવાહી કરી નથી

 

અમદાવાદના અમરાઈવાડીમાં મકાન દૂર્ઘટનાને બે સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં કોર્પોરેશને વળતર આપ્યું નથી. તંત્રએ કાટમાળ અને તૂટેલી ડ્રેનેજ લાઈનો અંગે પણ કાર્યવાહી કરી નથી. તેવા કચવાટ સાથે તંત્રની આવી ઢીલી નીતિના કારણે અસરગ્રસ્તોએ ઉપવાસ સાથે ધરણા કર્યા હતા.

  બચાવકાર્ય માટે આસપાસના જે મકાનમાં થોડીઘણી તોડફોડ કરી હતી. તેવા મકાન માલિકોને પણ વળતર મળે તેવી અસરગ્રસ્તોએ માંગણી કરી છે. ડ્રેનેજ લાઈન રીપેર કરવા પણ અસરગ્રસ્તોને માંગણી કરી છે.

(1:01 am IST)