પ્રાંતિજ નાનીભાગોળ રાવળવાસમાં મકાનમાં આગ ભભૂકી : ઘરવખરી સહિતનો સમાન બળીને ખાખ
શોટસકિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ રાવળવાસમાં એક મકાનમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો હતો
પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ રાવળ વાસમાં રહેતાં રાવળ શંકરભાઇ પુંજાભાઇના મકાનમાં શોટસકિટને કારણે અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને પાણીનો મારો ચાલુ કર્યો હતો.
પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરાતા પ્રાંતિજ ફાયર ટીમ મુકેશભાઇ પરમાર, ગોપાલભાઇ પટેલ સહિતની ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચાલુ કરી આગને હોલવી હતી. જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રાવળ શંકરભાઇ પુંજાભાઇના મકાનમાં રહે ધર વખરી બેગો,ફીઝ,ગાદલા સહિતનો માલ સામાન બળીને સ્વાહા થઈ ગયો હતો. હાલતો પ્રાથમિક તપાસમા આગ લાગવાનું કારણ શોટસકિટ થી આગ લાગી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.