ગુજરાત
News of Tuesday, 17th September 2019

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યાદગાર તસ્વીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

પ્રદર્શન મોદીની કહાની ભારત માતાના સાચા સપૂતનીની થીમ પર આયોજીત

 

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના ફોટોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતુ.ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ પ્રદર્શનને ખુલ્યુ મુક્યું હતું. જેમાં મોદીની યાદગાર તસવીરોને પ્રદર્શિત કરાઇ છે.    પ્રદર્શનમાં મોદીની બાળપણથી લઈ વડાપ્રધાન સુધીની તસ્વીરોને ફોટો સ્ટોરી રૂપે રજુ કરાઈ છે. પ્રદર્શન મોદીની કહાની ભારત માતાના સાચા સપૂતનીની થીમ પર આયોજીત કરાઈ છે.

(11:43 pm IST)