આણંદના રાવળાપુરની સીમમાં સાંજના સુમારે કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ
આણંદ: તાલુકાના રાવળાપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાંથી એક દિવસ અગાઉ સમીસાંજના સુમારે એક અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષના આશરાના યુવાનનો મૃતદેહ આણંદ ગ્રામ્ય પોલીસને મળી આવ્યો હતો.
જંમાં મરણ જનાર યુવાન આણંદ શહેરનો રહીશ અને વ્યવસાયે શિક્ષક હોવાનું ખુલવા પામ્યું હતું. આ ઈસમે લેણદાર દ્વારા પઠાણી ઉધરાણી કરતો હોવાથી નહેરમાં ઝંપલાવ્યુ હોવાથી એક ઈસમ સામે મરણજનારની પત્ની દ્વારા આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
આણંદ તાલુકાના રાવળાપુરા ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં એક દિવસ અગાઉ સાંજના સુમારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવાન મૂળ ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામનો વતની અને હાલ આણંદ શહેર ખાતે રહેતા સનતભાઈ રાવજીભાઈ પટેલ (ઉં.વ.૪૫) હોવાનું જાણવા મળ્યું હતું.