ગુજરાત
News of Friday, 17th May 2019

અમદાવાદના નવરંગપુરામાં 14 વર્ષીય મુકબધીર બાળકનું અપહરણ થતા અરેરાટી: ફરિયાદના આધારે શોધખોળ શરૂ

અમદાવાદ:નવરંગપુરામાં આવેલી બહેરામુગા શાળામાંથી ૧૪ વર્ષના મુકબધિર બાળકનું અપહરણ થતા ચકચાર મચી છે. છાત્રાલયના અન્ય વિદ્યાર્થીઓેએ ગૃહપતિને જાણ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ નવરંગપુરામાં આશ્રમરોડ પર બહેરામુંગાની સ્કુલ આવેલી છે અને બાળકોને રહેવા માટે છાત્રાલય છે. અહીં ૧૭૫ જેટલા મુકબધિર બાળકો રહે છે. જોકે વકેશન હોવાથી હાલમાં છાત્રાલયમાં પાંચ અનાથ બાળકો જ હાજર હતા.

(5:23 pm IST)