ગુજરાત
News of Thursday, 17th May 2018

અંકલેશ્વરના કોસમડી પાટિયા પાસેની સોસાયટીમાં અચાનક આગ ભભૂકી :12 વર્ષની બાળકીનું મોત

રૂષિરાજ રેસિડન્સીમાં નીચે પેઈન્ટના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડ્યા

અંકલેશ્વરનાં કોસમડી ગામનાં પાટીયા નજીક આવેલી રૂદ્રાક્ષ રેસિડન્સીની સામેની ઋષિરાજ રેસિડન્સીમાં  સાંજનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠી છે  જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં તાત્કાલિક પહોંચેલાં ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

   આગની ઘટનામાં એક 12 વર્ષ બાળકીનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. રેસિડન્સિનિ નીચેના ભાગે આવેલા પેઈન્ટનાં ગોડાઉન આગ લાગી હતી. આ ગોડાઉનમાં બાળકી કેવી રીતે ગઈ અને આગની ઘટનામાં ભોગ બની તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

(7:45 pm IST)