મોડાસા નજીક પરિણીતાની ભેદી સંજોગોમાં થેયલ હત્યાનો ભેદ ઉકેલાયો: ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએજ કરી હતી કરપીણ હત્યા
મોડાસા: નજીકના કોલીખડકંપાની સીમમાં આવેલાખેત ઓરડીમાં રહેતી મહિલા ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ ખૂનની કોશીશ સાથે લૂંટ કરાતાં ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.લૂંટ અને હત્યા પ્રકરણે જયારે પતિ એ જ પત્નિના ચારીત્ર્યથી વહેમાઈ મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં જણાતાં અને હત્યારા પતિએ ગુનાની કબુલાત કરી હતી. મોડાસા નજીક આવેલા કોલીખડકંપાની સીમમાં સલીમભાઈ શેઠ નામના ખેડૂતના ખેતરમાં છોટાઉદેપુર જિલ્લાના ચીચોટ ગામનો પરિવાર વસવાટ કરતો હતો. ખેતરની ખેત ઓરડીમાં રહેતા અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા બકાભાઈ નાયકાના પત્નિ ગત તારીખ ૨ એપ્રિલના રોજ ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્શોએ આ મહિલાના માથે લોખંડની ઈગલ ફટકારી જીવલેણ ઈજા પહોંચાડી જયોત્શનાબેને પહેરેલ સોનાની ચુની અને પીળી ધાતુની જુઠી બુટ્ટી- ૨ લૂંટી લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને પ્રથમ મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પીટલમાં અને ત્યાર બાદ સઘન સારવાર અર્થે અમદાવાદ ખાતેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી.પોતાની પત્નિ ઉપર લૂંટના ઈરાદે ખૂનનો પ્રયાશ કરનાર અજાણયા શખ્શો વિરૂધ્ધ પતિ બકાભાઈ માધુભાઈ નાયકા એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નીપજતાં ટાઉન પોલીસે આ ચકચારી પ્રકરણે ઈપીકો કલમ ૩૦૭ ને બદલે કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.