વિદ્યાનગરમાં અસલી-નકલી કિન્નરો વચ્ચે મારપીટ: પેટલાદના કિન્નરોએ લમધાર્યો: લોકોના ટોળા જમ્યા
પેટલાદથી બે રિક્ષાઓમાં આવેલા કિન્નરોએ ઢીબી નાખતા માફી માંગી :મામલો થાળે પડ્યો
વિદ્યાનગરમાં અસલી-નકલી કિન્નરો વચ્ચે મારપીટની ઘટના બનવા પામી હતી. અસલી-નકલી કિન્નરો વચ્ચેથી મારપીટ નિહાળવા લોક ટોળાં જામ્યા હતા. મળતી વિગતો મુજબ કિન્નરો દ્વારા પોતાના નિયત ઉઘરાણાં માટે હદ-વિસ્તાર વહેંચેલા હોય છે. પોતાના વિસ્તારમાં અન્ય કોઇ કિન્નર ઘૂસીને ઉઘરાણી કરે તો તેની સાથે તે વિસ્તારના કિન્નરો દ્વારા બોલાચાલી અને કયારેક ઘટના ઉગ્ર બને તો મારામારીના દૃશ્યો પણ સર્જાતા હોય છે.
વિદ્યાનગરના હરિઓમ નગર પાસે પણ તાજેતરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. જેમાં પેટલાદથી બે રિક્ષાઓમાં આવેલા કિન્નરોના ટોળાએ નકલી કિન્નર બનીને લોકો પાસેથી નાણાં ઉઘરાવતા વિદ્યાનગરના કિન્નરને ધીબ્યો હતો. જેના પગલે લોકોની ભીડ જામી હતી. જો કે કેટલાક અગ્રણીઓએ વચ્ચે પડીને તેમજ વિદ્યાનગરના કિન્નરે માફી માંગીને આ પ્રકારે ઉઘરાણી નહીં કરેની ખાતરી આપતા માંડ માંડ મામલો થાળે પડયો હતો.