અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઇ :ત્રણની ધરપકડ
કતલખાને લાઈ જવાતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી ;ગૌવંશને મુક્ત કરાવી ટ્રેનને પકડી લેવાયા
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગૌવંશને ઠસોઠસ રીતે ભરીને કતલખાતે લઇ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.જેના આધારે તેમણે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન 8 જેટલા ગૌવંશ ભરેલી ટ્રકને ઝડપી પડી હતી.પોલીસે ગૌવંશને મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.
ટ્રક સાથે પોલીસે આશીફ ઇસ્માઇલ નાગોરી, નારાયણ મંગા વસાવા અને અબ્દુલ રહેમાન હોટલવાલા તમામ રહે ભરૂચનાં ઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ તેમજ ટ્રકમાં ગૌવંશ ભરાવનાર અમરેલીનાં સાદ્દીક સલીમે ગૌવંશને અબ્દુલ રહેમાન હોટલવાલા તથા વસીમ કોકનીએ કતલખાને લઇ જવાનાં ઇરાદે ટ્રકમાં ગૌવંશ માટે પાણી કે ખોરાકની પણ વ્યવસ્થા કરી ન હતી. તેમજ જરૂરી પાસ પરમીટ પણ ન હોવાનું બહાર આવ્યું હતું.