ગુજરાત
News of Saturday, 17th April 2021

રાજ્યમાં કોરોનાનો હાહાકાર : અમદાવાદ-સુરતમાં બેફામ : રોજ નવા રેકોર્ડબ્રેક આંકડાથી ફફડાટ : આજે નવા રેકોર્ડબ્રેક 9541 પોઝિટિવ કેસ : વધુ 3783 દર્દીઓ સ્વસ્થ થયા : 97 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 5267 થયો : કુલ 3,33,564 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 1,56,663 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 3303 કેસ, સુરતમાં 2155 કેસ, વડોદરામાં 579 કેસ, રાજકોટમાં 494 કેસ, જામનગરમાં 318 કેસ, મહેસાણામાં 262 કેસ, ભરૂચમાં 235 કેસ, ભાવનગરમાં 195 કેસ, બનાસકાંઠામાં 178 કેસ, નવસારીમાં 148 કેસ, ગાંધીનગર અને પાટણમાં 147-147 કેસ, જૂનાગઢમાં 128 કેસ, પંચમહાલમાં 107 કેસ, તાપીમાં 98 કેસ, નર્મદામાં 97 કેસ, અમરેલીમાં 96 કેસ, કચ્છમાં 92 કેસ, સુરેન્દ્રનગરમાં 89 કેસ, મહીસાગરમાં 81 કેસ, ખેડામાં 79 કેસ, સાબરકાંઠામાં 75 કેસ, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં 71 -71 કેસ, દાહોદમાં 53 કેસ અને મોરબીમાં 50 કેસ નોંધાયા : હાલમાં 55,398 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 5000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 6 હજારને પાર પહોંચી હતી અને બાદમાં 7 હજારના આંકને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 9541 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 3783 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 9541 કેસ નોંધાયા છે જયારે વધુ 3783 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,33,564 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 97  દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 5267 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 84,61 ટકા  થયો છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 8 ,વડોદરા કોર્પોરેશનમાં 7,સુરેન્દ્રનગરમાં 6,મોરબીમાં 3,બનાસકાંઠામાં 2 , ભાવનગરમાં 2,ભાવનગર કોર્પોરેશનમાં 2,જામનગરમાં 2,જામનગર કોર્પોરેશનમાં 2,મહેસાણામાં 2,રાજકોટમાં 2,ભરૂચમાં 1,બોટાદમાં 1,ડાંગમાં 1,ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1,પંચમહાલમાં 1,સાબરકાંઠામાં 1 અને વડોદરામાં 1 મળીને કુલ 97 લોકોના મોત  નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5267 થયો છે  

    રાજ્યમાં હાલ 55,398 એક્ટિવ કેસ છે, જેમાંથી  304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,33,564 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 13,61,550 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,01,70,544 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી 87,932 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9541 કેસમાં અમદાવાદમાં 3303 કેસ,સુરતમાં 2155 કેસ, વડોદરામાં 579 કેસ,રાજકોટમાં 494 કેસ, જામનગરમાં 318 કેસ, મહેસાણામાં 262 કેસ,ભરૂચમાં 235 કેસ,ભાવનગરમાં 195 કેસ, બનાસકાંઠામાં 178 કેસ, નવસારીમાં 148 કેસ,ગાંધીનગર અને પાટણમાં  147-147 કેસ,જૂનાગઢમાં 128 કેસ,પંચમહાલમાં 107 કેસ,તાપીમાં 98 કેસ, નર્મદામાં 97 કેસ,અમરેલીમાં 96 કેસ,કચ્છમાં 92 કેસ, સુરેન્દ્રનગરમાં 89 કેસ, મહીસાગરમાં 81 કેસ, ખેડામાં 79 કેસ, સાબરકાંઠામાં 75 કેસ, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં 71 -71 કેસ,દાહોદમાં 53 કેસ અને મોરબીમાં 50 કેસ નોંધાયા છે

(8:30 pm IST)