News of Monday, 16th April 2018
મોડી રાત્રે અમદાવાદના આંબાવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ :યુવતીની છેડતી મામલે ધીંગાણું :બે બાઇકને આગ લગાડાઇ :પોલીસ પર પથ્થરમારો :ટીયરગેસના સેલ છોડાયા
અમદાવાદ :શહેરના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે આંબાવાડી વિસ્તારમાં યુવતિની છેડતી મામલે અથડામણ થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ 2 મોટરસાઇકલને આગ લગાડી છે ટોળાને વિખેરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે. આ સાથે અથડામણ સ્થળ પર ફાયરવિભાગ પણ પહોંચી ગયું હતું. ફાયર કર્મીઓ વાહનોને લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે બીજીતરફ પોલીસે આ ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.પોલીસ દ્વારા ટોળાને શાંત પાડવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે
(12:48 am IST)