ગુજરાત
News of Monday, 16th April 2018

મોડી રાત્રે અમદાવાદના આંબાવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ :યુવતીની છેડતી મામલે ધીંગાણું :બે બાઇકને આગ લગાડાઇ :પોલીસ પર પથ્થરમારો :ટીયરગેસના સેલ છોડાયા

અમદાવાદ :શહેરના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે આંબાવાડી વિસ્તારમાં યુવતિની છેડતી મામલે અથડામણ થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ 2 મોટરસાઇકલને આગ લગાડી છે  ટોળાને વિખેરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ  ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે. સાથે અથડામણ સ્થળ પર ફાયરવિભાગ પણ પહોંચી ગયું હતું. ફાયર કર્મીઓ વાહનોને લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે બીજીતરફ પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.પોલીસ દ્વારા ટોળાને શાંત પાડવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે

(12:48 am IST)