ગુજરાત
News of Monday, 16th April 2018

આંકલાવના અંબાલી ગામે પુત્રી સાથે અગમ્ય કારણોસર પરિણીતા ગૂમ થઇ જતા અરેરાટી

આંકલાવ:તાલુકાના અંબાલી ગામે રહેતી દિપીકાબેન નવીનભાઈ પ્રજાપતિ નામની ૨૬ વર્ષીય પરિણીતા ગત ૧૩મી તારીખના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે પોતાની ચાર વર્ષની પુત્રી શ્રેયાને લઈને ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. જેથી તેણીના સગાસંબંધીઓને ત્યા તપાસ કરવા છતાં પણ ના મળી આવતા આ અંગે આંકલાવ પોલીસે જાણવા જોગ નોંધ ગાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

બીજા બનાવમાં બાકરોલના ગોયા તળાવ હરિજનવાસમાં રહેતો અમીતકુમાર સંજયભાઈ હરિજન નામનો ૨૦ વર્ષીય યુવાન પણ ગત ૧૨મી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળીને ક્યાંક ગુમ થઈ ગયો હતો.

(7:59 pm IST)