તારાપુર ખંભાત રોડ નજીક ફોરવહીલરની હડફેટે રાહદારીનું કમકમાટી ભર્યુ મોત
તારાપુર:તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલપંપ પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે રાહદારીને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતુ. આ અંગે તારાપુર પોલીસ ેગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે જીણજ ગામના લ-મીપુરા ખાતે રહેતા દિપસંગભાઈ સવજીભાઈ વાઘેલા તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલા પોતાના ખેતરમાં જતા હતા ત્યારે પેશાબ કરવા જતી વખતે તારાપુર તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા ફોર વ્હીલરે ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને દિપસંગભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા.