News of Monday, 16th April 2018
સુરતમાં પાંડેસરાની ૧૧ વર્ષીય બાળકી ઉપરની ઘટના અંગે
આરોપીઓને નહી છોડાયઃ પ્રદિપસિંહ
૩ શખ્સો સામે ફરીયાદ થઇ છેઃ સરકારે તપાસ ઝડપી બનાવી છે
રાજકોટ તા. ૧૬ :.. સુરતના પાંડેસરા ગામે ૧૧ વર્ષીય બાળકીના હિચકારા મોતના મામલે આજે રાજયના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું કે, આ ઘટનામાં બાળકીની ઓળખ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, સોશીયલ મીડીયામાં ખોટા મેસેજ વાયરલ કરવા મામલે ફરીયાદ થઇ છે.
તેમણે જણાવેલ કે ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ૩ શખ્સો સામે ફરીયાદ નોંધાઇ છે, આરોપીઓને કોઇ કાળે નહી છોડાય, સરકારે આ બાબતે તપાસ તેજ બનાવી છે, હાલ આરોપીઓ પોલીસ પકકડની બહાર છે, પણ ઝડપથી પકડાઇ જશે. (પ-૪૪)
(12:54 pm IST)