ગુજરાત
News of Monday, 16th April 2018

વલસાડ :પરિવાર ધાબા ઉપર સુવા ગયોને તસ્કરો ચોરી કરી ફરાર

વલસાડના ચણવઈ ઓસ્વાલ વિલેજ-1માં મોડી રાત્રે તસ્કરોએ એક ઘરમાં હાથફેરો કર્યો હતો. પરિવાર રાત્રે ધાબા પર સૂવા ગયા બાદ તસ્કરો ત્રાટક્ય હતા.અને ઘરનો સામાન વેર વિખેર કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
 મળતી વિગત મુજબ વલસાડના ચણવઈ ઓસ્વાલ વિલેજ-1 ખાતે મહેન્દ્રસિંહ હરિસિંહ ઠોકાર પરિવાર સાથે રહે છે. ગત રોજ રાત્રે પરિવાર સાથે ટીવી જોયા બાદ ધાબા પર સૂવા માટે ગયા હતા. દરમિયાન 6 વાગ્યે તેમની પત્ની નીચે આવ્યા હતા. અને દરવાજાનો નકૂચો તોડી તસ્કરો અંદર પ્રવેશી ઘરનો સામાન વેર વિખેર જોયો તેને તપાસ કરતા તસ્કરો તસ્કરો 47,500ની સોનું અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. મહેન્દ્રસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. .

(7:05 pm IST)