News of Saturday, 17th March 2018
અયોધ્યામાં રામમંદિર બનાવવા કાલથી ગુજરાતમાં અનુષ્ઠાન
રામનવમીના દિવસે રાજયમાં ર૦ મોટી શોભાયાત્રા
અમદાવાદ, તા., ૧૭: વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા અયોધ્યામાં રામ જન્મભુમી પર મંદિર નિર્માણની લોકોની ઇચ્છા પુરી કરવા ગુજરાતમાં કાલે ૧૮ માર્ચ વર્ષ પ્રતિપદા દિવસથી હનુમાન જયંતી સુધી જય અનુષ્ઠાનનું આયોજન કરાયેલ છે. ધર્મસંસદમાં સંતોએ અનુષ્ઠાન માટે નિર્દેષ કરેલ ૩પ૦૦ સ્થળો પર અનુષ્ઠાન કરાશે. અમદાવાદ ટાઉન હોલમાં સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ અનુષ્ઠાન થશે. રામનવમીના દિવસે રાજયમાં ર૦ સ્થળોએ મોટી અને ૪૫ સ્થળોએ સ્થાનીક કક્ષાની શોભાયાત્રા થશે તેમ વિશ્વ હિન્દુ પરીષદના પ્રદેશ મહામંત્રી રણછોડભાઇ ભરવાડે જણાવ્યું હતું.
(12:28 pm IST)