મહેમદાવાદના મોદજ ગામે પરિણીતા પર આડા સંબંધનો વ્હેમ રાખી સાસરિયાઓનો શારીરિક માનસિક ત્રાસ: પોલીસ ફરિયાદ દાખલ
મહેમદાવાદ :તાલુકાના મોદજ ગામે રહેતી પરણિતાએ તેના પતિ સહીત સાસરીયાઓ પર શારીરિક માનસીક ત્રાસ ગુજારતા હોવા બાબતની ફરિયાદ નોધાવી છે.
મોદજ ગામે રહેતી ક્રિષ્નાબેન પ્રવિણભાઇ ભોજાણીના લગ્ન સાત વર્ષ અગાઉ મોદજ ગામના યોગેસ અમરસિહ ચૌહાણ સાથે ધાર્મિક વિધિથી થયા હતા. લગ્નને સાત વર્ષ જેટલો સમય થઇ ગયો પરંતુ તેઓને સંતાનમાં કોઇ બાળક ન હતું. જેથી તેમના સાસરીયાઓ ક્રિષ્નાબેનને તારે અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ છે તેવા મ્હેણાં-ટોળા મારી વારંવાર શારીરિક માનસીક ત્રાસ ગુજારતા હતા. વારંવાર ઘરકામ અંગે તેમજ જમવાનુ બનાવવા અંગ ેક્રિષ્નાને માનસીક અને શારીરિક ત્રાસ આપતા સાસરીયાઓથી કંટાળી ક્રિષ્નાબેને મહેમદાવાદ પોલીસ મથકે પોતાના પતિ યોગેશ અમરસિહ ચૌહાણ, સસરા અમરસિહ અર્જુનસિહ ચૌહાણ, સાસુ અમરતબેન અર્જુનસિહ ચૌહાણ, તેમજ નણંદ નિતાબેન અમરસિહ ચૌહાણનાઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં મહેમદાવાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.