News of Wednesday, 17th January 2018
નવસારીના ગણદેવીના અંભેટા પાસે ત્રિપલ અકસ્માત :કાર ચાલકનું મોત :રસ્તાને અડીને શાકભાજી વેંચતા સાત મહિલાને ઇજા
નવસારીના ગણદેવી તાલુકાના અંભેટા ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં કારચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જયારે માર્ગને અડીને શાકભાજીનું વેચાણ કરતી સાત બહેનોને ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 2 કલાકની જહેમત બાદ જેસીબી મશીનથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.યુવકના મોતને પગલે પરિવારમાં ગમગીની ફેલાઇ હતી.
(6:29 pm IST)