કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આણંદની મુલાકાતે
'એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ' કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત
અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલે આણંદની મુલાકાતે આવશે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. અમિતભાઇ શાહ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં ઉપસ્થિત રહેશે. તેમજ નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં યોજાશે. ગૃહપ્રધાનના આગમનને લઈ આણંદ હેલિપેડ ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડએ ચેકિંગ કરી આગમનની તૈયારી કરી છે. અને અમુલથી હેલિપેડ સુધીનું પોલીસે સુરક્ષાની તપાસ કરી.
આ પહેલ 2 દિવસ અગાઉ જ અમિતભાઈ શાહ ઓચિંતા અમદાવાદ આવ્યાના અહેવાલ આવ્યા હતા. સ્નેહીજનના પૃત્યુંને કારણે તેઓ અમદાવાદ આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. તો ડિસેમ્બર મહિનામાં અમિતભાઈ શાહ આ ત્રીજી વખત ગુજરાત આવી રહ્યા છે