ગુજરાત
News of Monday, 16th December 2019

આર્થિક પ્રશ્ન ઉકેલવા માટે ૨૯મીએ કાર્યક્રમ યોજાશે

ચાણક્ય ચક્રવ્યુ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ,તા.૧૬ : હાલ દેશની આર્થીક પરિસ્થતિમાંથી બહાર આવવા માટે તમારા પોતાનામાં રહેલી બુઘશકિતનો ઉપયોગ કરવા માટે ફાઇનાન્સીયલ ફ્રીડમ એટલે કે ચાણકય ચક્રવ્યુંની એક અનોખી રમત તા.૨૯ મી ડીસેબમ્બરે અમદાવાદમાં યોજાનાર છે. ચાણકય ચક્રવ્યું મારફતે યાજાનાર આ રમતમાં એક સાથે છ રમતરમનાર બેસશે અમે તેમના નાંણાકીય બાબતોના વિચારોની આપલે કરશે. Sunshine Consultants Teamના ફાઉન્ડર વિપુલ ધુવાડે જણાવ્યું હતું કે, જાણીતા અર્થશાસ્ત્રીઓ, ફીલ્મ સ્ટાર સહિત દેશના અઢાર હજાર લોકો આ રમત રમી ચુકયા છે. જેમાં આર્થીક બાબતોમાં તમારા વિચારો, તમારી યોજના, નાણાં કમાવવા કે ખર્ચ કરવા માટે તમારા વિચારોની આપલે કરવાનું એ એક પ્લેટ ફોર્મ આ રમત પુરી પાડે છે.

           અમદાવાદ શહેરની આ રમત માટે હાલ ૧૨૦૦ જેટલા રમતવીરો નોંઘાઇ ગયા છે. જેમને તેમની નોંઘણી vrd@sunshineteam.in પર કરીહતી. આ રમત હાલ ઓનલાઇન નથી. આ આર્થીક બાબતોના પ્રશ્નો અને તેના ઉકેલના વિચારોની આપલે કરવાનો કાર્યક્રમ ચાણકય નીતિ પર પીએચડી કરનાર ડો. રાઘાક્રિષ્ણ પિલ્લઇ દ્વારા યોજાઇ રહ્યો. વર્ષના દરેક રવિવારે આ પ્રકારની ઇકોનોમી કવીઝ યોજાવવાની છે.

(8:55 pm IST)