ગુજરાત
News of Monday, 16th December 2019

વરાછાના ઉમિયાધામ રોડ પર બંધ આઇ.સી.ગાંધી મીલના કમ્પાઉન્ડમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં યુવાનની લાશ મળી

સુરત: ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે સવારે વરાછાના ઉમિયાધામ રોડ પર બંધ પડેલી આઇ.સી.ગાંધી મીલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં સ્થાનિક વિસ્તારના બાળકો રમતા હતા ત્યારે ત્યાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં 35 થી 35 વર્ષના એક અજાણ્યા યુવાનની લાશ જોઇ હતી. બાળકોએ તેમના ઘર પાસે જઇને કેટલાક વ્યકિતને જાણ કરી હતી. તેથી કોઇઅ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર જવાને તેમનો મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોપ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ 32વર્ષીય યુવકનું નામ જ્ઞાાનેશ્વર પાટીલ (રહે-વરાછા રોડ, ફૂટપાથ )છે. તે છુટક કામ કરીને પેટીયું રળતો હતો અને દારૃ પણ પીતો હતો.આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(6:35 pm IST)