News of Monday, 16th December 2019
ગળતેશ્વના પરબીયા ગામેથી ગુમ યુવાનની લાશ મહી કેનાલમાંથી મળી
ગળતેશ્વર: તાલુકાના પરબિયા ગામે રહેતા વિજયભાઇ મનુભાઇ વાળંદ ગત તા.૧૨ ડિસેમ્બરના રોજ તેમના ઘરેથી નિકળ્યા હતા. દરમ્યાન વનોડા મહી કેનાલ પાસે પહોંચતા હાથપગ ધોવા માટે ઉતર્યા હતા. દરમ્યાન તેઓનો પગ લપસી જતા તેઓ મહી કેનાલના ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતા. જેઓની શોધખોળ કરતા પહેલા બે દિવસ તેઓની કોઇ ભાળ મળી ન હતી. પરંતુ આજરોજ તેઓની લાસ કેનાલમાં તરતી જોવા મળતા તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી પોલીસે તપાસ કરતા મરણ જનાર વિજયભાઇ મનુભાઇ વાળંદનાઓ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
(6:32 pm IST)