ગુજરાત
News of Monday, 16th December 2019

આંકલાવના ભાણપુરા ગામે મહી નદીના કિનારેથી યુવાનની લાશ યુવાનની લાશ

નડિયાદ: આંકલાવ તાલુકાના ભાણપુરા ગામેથી પસાર થતી મહી નદીના કિનારેથી આજે સવારે એક યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ગ્રામજનો નદી કિનારે ઉમટી પડ્યા હતા. પોલીસે તપાસ કરતાં મરણ જનાર યુવાન ૪૫ વર્ષની ઉંમરનો અને શરીરે કાળા કલરનું પેન્ટ અને સફેદ અને કાળા રંગની ચોકડીવાળુ શર્ટ પહેર્યું છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી જ્યાં મોતનું પ્રાથમિક કારણ ડુબી જવાથી આવ્યું છે તેમ છતાં પણ પોલીસે વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. સાથે સાથે અજાણ્યો મરણ જનાર યુવાન કોણ અને ક્યાંનો છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:27 pm IST)