ગુજરાત
News of Monday, 16th December 2019

વલસાડના ટાવર વિસ્તારમાં અસામાજિકોનો આતંક : શ્રમજીવી યુવક અને તેની ગર્ભવતી પતિને માર માર્યો

બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

વલસાડના ટાવર વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમજીવી યુવક અને તેની ગર્ભવતી પત્નીને માર મારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા આઝાદ ચોકીથી માત્ર 100 મીટર દૂર જ પતિ પત્નીને માર મારવામાં આવ્યો હતો.હાલમાં  બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

(10:18 pm IST)