ગુજરાત
News of Sunday, 16th December 2018

વડોદરાના ફતેહગંજ ફ્લાય ઓવરબ્રીજમાં તિરાડ : નબળી કામગીરી થયાની લોકોમાં ચર્ચા

વડોદરામાં ફલાય ઓવરમાં તીરાડ પડી છે. શહેરના મુખ્ય કહી શકાય એવા ફતેગંજ ફ્લાય ઓવરબ્રિજ પર તીરાડ દેખાઇ છે. તિરાડ દેખાતા તંત્રની મોટી નિષ્કાળજી સામે આવી હોવાનું લોકો માની રહ્યાં છે

 કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફ્લાય ઓવરના બાંધકામમાં નબળી ક્વોલિટી વપરાઈ હોવાની લોકોમાં ચર્ચા જાગી છે લોકોમાં ચર્ચાતી વિગત મુજબ અગાઉ પણ નવનિર્મિત શાસ્ત્રીબ્રીજ પર ભુવો પડ્યો હતો. કોન્ટ્રાકટરની નબળી કામગીરી છતી થઇ હતી. હજારો લોકો દરરોજ આ બ્રીજ પરથી અવરજવર કરે છે..જેથી લોકો મોટી દુર્ઘટના થવાની ભીતી સેવી રહ્યાં છે

(8:37 pm IST)