અમદાવાદના બગોદરામાં પોલીસના મારથી 35 વર્ષીય યુવાનનું મોત
અમદાવાદ:બગોદરામાં થયેલી ચોરીના એક કેસમાં બોપલ એલસીબીની ઓફિસમાં પુછપરછ માટે લવાયેલા ૩૫ વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. જેને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસના મારથી તેનું મોત નીપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. હાલમાં આ કેસમાં જ્યુડિશીયલ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મૃત્યુંનું સાચુ કારણ જાણવા મળશે.
કુરિયર કંપનીમાં કામ કરતા યુવક પર અઢી કરોડના પાર્સલની ચોરીનો આરોપ હતો ઃ બગોદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો
આ બનાવની વિગત મુજબ મુળ લીમડી સુરેન્દ્રનગરનો રહેવાસી અને નરોડામાં રહેતો સુરૃભા ઝાલા (૩૫) બ્લુ ડાર્ટ કુરિયર કંપનીમાં ડ્રાયવર તરીકે કામ કરતો હતો. કંપનીના અંદાજે કરોડોની કિંમતના પાર્સલો લઈને તે બગોદરા નજીકથી પસાર થઈ રહ્યો હતો. જેમાંથી અંદાજે અઢી કરોડની કિંમતના છથી સાત પાર્સલની ચોરી થઈ હતી.