News of Tuesday, 16th October 2018
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી ફરીવખત ‘ગાંધી’ પરીક્ષામાં પ્રથમક્રમે
સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓએ જીવન પર આધારિત પરીક્ષામાં ભાગ લીધો
અમદાવાદમાં 2008માં થયેલા સિરીયલ બ્લાસ્ટનાં એક આરોપીએ આ વર્ષે પણ ગાંધી વિચાર પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ કરી છે.તેણે આ પરીક્ષામાં 80 માર્ક્સનાં પેપરમાંથી 80 માર્ક્સ મેળવ્યા છે.
મહાત્મા ગાંધીનાં જીવન પર લેવામાં આવેલી આ પરીક્ષામાં અવ્વલ આવનારનું નામ છે શમ્સુદ્દીન શેખ. તે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે અને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે.
ગયા વર્ષે લીધેલી ગાંધી વિચાર પરીક્ષામાં પણ શમ્સુદ્દીન શેખ પ્રથમ ક્રમે આવ્યો હતો. શમ્સુદ્દીન શેખે સાબરમતી જેલમાં આવ્યા પછી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. તે ગાંધી વિચાર પરીક્ષા અંગેજી ભાષામાં આપે છે.
(4:44 pm IST)