ગુજરાત
News of Monday, 16th September 2019

આણંદમાં ઉછીના પૈસાની લેતીદેતી મામલે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હુમલો કરનાર 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ: શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં આવેલી બીસ્મીલ્લા સોસાયટીમાં ઉછીના આપેલા બે લાખનો ચેક રીટર્ન થતાં કોર્ટમાં કરેલા કેસની રીસ રાખીને ચાર શખ્સોએ ગઈકાલે રાત્રીના સુમારે ઉછીના આપનારના ઘર ઉપર હુમલો કરીને તોડફોડ કરી નુકસાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના લોટીયા ભાગોળ ખાતે ગેરેજ ચલાવીને ગુજરાન ચલાવતા ફરિયાદી સગીરઅહેમદ સબ્બીરઅહેમદ ભીસ્તીએ પોતાની સોસાયટીમાં જ રહેતા મિત્ર જાવેદખાન જોસેફખાન પઠાણને તેની ભાણીના લગ્ન પેટે બે લાખ ઉછીના આપ્યા હતા. જે પેટે તેણે કોરો ચેક આપ્યો હતો.

(6:13 pm IST)