ગુજરાત
News of Monday, 16th September 2019

ટ્રાફિકના નવા નિયમો પર પરેશ ધાનાણીએ કહ્યુ,'હવે ઘોડા-ગધેડા, આખલાનો ભાવ અઢી ગણો વધશે'

ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા

અમદાવાદ ,તા.૧૬:આજથી એટલે કે ૧૬મી સપ્ટેમ્બરથી રાજયમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. નવા નિયમો પ્રમાણે ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં મોટા વધારા કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા છે. સાથે જ પરેશ ધાનાણીએ ટ્રાફિક મેમોને લઈને હર હર મેમો ઘેર ઘેર મેમોનું સૂત્ર પણ આપ્યું છે. સાથે જ તેમણે ગાડુ હાકતા હોય તેવી તસવીરો પણ પોસ્ટ કરીને તેને તમામ મોકાણથી છૂટકારો મેળવવાનો ઉપાય ગણાવ્યો છે.

'પ્રદુષણ મુકત ભારતનો સંકલ્પ'ના બેનર સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે કે, 'ભારત સરકારે કાયમી કાર્બન ઓકતી 'વિદેશી મોટર કાર'ને બદલે હવે 'દેશી બળદ ગાડા'થી 'પ્રદુષણ મુકત' પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે જ, ભારતીય વાહન ચાલકોને આકરા દંડથી ડરાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે?'

 'ભરો નહીં તો મરો, ઈ વાહન વેરો'ના બેનર સાથે ધાનાણીએ લખ્યું છે કે, ' રાજકીય કાર્યક્રમોમાં સરકારી વાહનોનો દૂરુપયોગ રોકવા તથા એસ.ટી.બસ અને રેલવે સહિત સાર્વજનિક વાહન વ્યવહારનો વ્યાપ અને વ્યવસ્થામાં સુધારો વધારો કરવા ત્વરીત યોગ્ય પગલાં ભરવા જોઈએ! ટ્રાફિકના નિયમો અંગે ંદંડનીય વધારો સંપૂર્ણ રીતે પરત ખેંચાવો જોઈએ..!હેલ્મેટની ઉપાધિમાંથી સંપૂર્ણ મુકિત આપવી જોઈએ..! સમગ્ર રાજયમાં ટોલટેક્ષનું ટેરરીઝમ સદંતર બંધ થવું જોઈએ..!શહેરી વિસ્તારમાં કાયમી ધોરણે વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરવામાં આવવી જોઈએ..! પ્રદુષણ રહિત નવીન વાહનો ઉત્પાદન કરવા તેમજ જૂના વાહનોને પીયુસીની પરવાનગીથી મુકિત આપવી જોઈએ.!પેટ્રોલ અને ડીઝલની પીડાને 'વેટ'નાં કરમાંથી કાયમી મુકિત આપવી જોઇએ..!

(4:16 pm IST)