અમદાવાદ:જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ચારના મોત
અમદાવાદ: રાજ્યમાં જુદા જુદા માર્ગ અકસ્માતમાં ચાર વ્યકિતનાં મોત નીપજ્યાં છે જ્યારે સાત લોકોને ગંભીર ઇજા થવા પામી છે. રાજકોટ-કાલાવડ રોડ પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યકિતનાં તેમજ ભરૂચ નજીક કાર પલટી ખાઇ જતાં એક વ્યકિતનું, જ્યારે શામળાજી હાઇવે પર કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજયું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ-કાલાવડ વચ્ચે આણંદપરનાં છાપરાં નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઇ કાલે સાંજે ૪-૦૦ વાગ્યાની આસપાસ હોન્ડાસિટી કાર અને અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સુરતના પુણાગામમાં રહેતાં જેન્સીબહેન મનસુખભાઇ વાટલિયા (ઉ.વ.૧૯) અને જામકંડોરણાના કાનાવડાળાના સ્મિત પ્રકાશભાઇ વરસાણી (ઉ.૧૮)ના ઘટના સ્થળે મોત નીપજયાં હતાં, જયારે બે વ્યાક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.