ગુજરાત
News of Thursday, 16th July 2020

હિંમતનગર તાલુકાના હસનગરમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર ઘર પર પથ્થરમારો થતા મામલો બિચક્યો

હિંમતનગર: શહેરના ના હસનનગર વિસ્તારમાં મંગળવારે મોડી રાતના એક ઘર પર પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો અને મારામારી સુધી પહોંચી જતા તેમાં એક યુવાન પર ધારીયાથી હુમલો કરી લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૪ જણા વિરૂધ્ધ ફરીયાદ નોધાતા પોલીસે તરત જ બુધવારે હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન  કર્યા છે. આ અંગે રીક્ષા ચલાવતા તથા હસનનગરના વણજારા વાસમાં રહેતા ભરતભાઈ નગીનભાઈ વણજારાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે તેઓ તથા તેમના ભાઈ અજય અને અનિલના છાપરા આગળ ઉભા હતા ત્યારે કોઈક શખ્સે અનિલના છાપરા પર પથ્થર નાખી નદીના પટ તરફ ભાગી રહ્યો હતો જેથી તપાસ કરતા મંજુરઅલી નાસીરખાન પઠાણ પથ્થર હાથમાં લઈને ઉભો હતો જેથી તેને પકડી લીધો હતો.

(6:30 pm IST)