સુરતના હજીરા વિસ્તારમાં નાણાકીય તકલીફથી કંટાળી પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
સુરત:હજીરામાં નાણાકીય તકલીફ પડતી હોવાથી પત્ની સાથે રકઝક થતા પતિ નાસીપાસ થયેલી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ હજીરા ગામ નવી સોસાયટીમાં દીપેશ પટેલના મકાનમાં રહેતા 30 વર્ષીય મિથીલેશકુમાર ગુરુચરણ યાદવ બુધવારે સવારે ઘર પાસે જંગલી બાવળની ઝાડીમાં લીમડાના ઝાડની ડાળખી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
પોલીસ સૂત્રોએ કહ્યું હતું મિથીલેશકુમાર મૂળ બિહારના મહારાજગંજના વતની હતા. તેને બે સંતાન છે. તે ડ્રાઇવિંગ કામ કરતા હતા. જોકે તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી પત્ની સાથે ઘર ખર્ચ સહિતના મુદ્દે રકઝક થતી હતી. જેથી તેમને માઠું લાગી આવતા આતો પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે હજીરા પોલીસે તપાસ આદરી છે.