ગુજરાત
News of Monday, 15th July 2019

ભીખ માંગી પેટિયું રળતા પિતાની પથ્થર મારીને કરપીણ હત્યા:લાશને સ્મશાનમાંથી બહાર કઢાઈ

ઓલપાડના કુડસદ ગામનો કિસ્સો :નાના દીકરાની તપાસમાં હત્યા મોટાભાઈએ કરી હોવાનું ખુલ્યું :કિમ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

 

ઓલપાડના કુડસદ ગામે ભીખ માંગી પોતાનું પેટિયું રળતા 60 વર્ષીય પિતાની પથ્થર મારી હત્યા કરી લાશને ગામના સ્મશાનમાં દફનાવી દીધી હતી.નાના દીકરાની તપાસમાં પિતાની હત્યા મોટા ભાઈએ કરી હોવાનું ખુલતા નાના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મોટા દીકરાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનું કબૂલાત કરી હતી.  

 કિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી 25 દિવસ પહેલા કુડસદ સ્મશાનમાં દફનાવી દીધેલી લાશ ઓલપાડ મામલતદાર અને ઊંચ પોલીસ અધિકારી, સરકારી તબીબની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પી.એમ અર્થે મોકલી આપી હતી. જોકે મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

  અંગેની વિગત મુજબ ઓલપાડના કુડસદ ગામે એકલવાયું જીવન જીવતા 60 વર્ષીય પ્રતાપ ભાઈ વસાવા ગામમાં ભીખ માંગી ગામના બસ સ્ટેન્ડમાં રહેતા હતા. પરંતુ તેમની બસ સ્ટેન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. લાશને મોટા દીકરા રવિ વસાવાએ ગામના કેટલાક સગાસબન્ધીને સાથે રાખી ગામના સ્મશાનમાં પિતાની લાશને દફનાવી દીધી હતી

  ઘટનાને 25 દિવસ બાદ મૃતકના નાનો દીકરો દિલીપ વસાવા પિતાને મળવા કુડસદ આવ્યો હતો. ત્યાં મોટાભાઈના સસરા કાંતિભાઈ વસાવાએ દિલીપને કહ્યું હતું કે, રવિએ તારા પિતાની હત્યા કરી લાશ ગામના સ્મશાનમાં દફનાવી દીધી છે.

(12:26 am IST)