સુરતના અમરોલીમાં તસ્કરો ત્રાટક્યા :ઉત્રાણ પાવર હાઉસ સામે સિલ્વર એમ્પાયરમાં ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરી કરીને ફરાર
સુરત :સુરતના અમરોલીમાં તસ્કરો ત્રાટક્યા હતા ઉત્રાણ પાવર હાઉસ સામે આવેલ સિલ્વર એમ્પાયરમાં ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા પનવેલ પોઈન્ટ પાસે અક્ષરધામ સોસાયટીમાં રહેતા મનિષ કાકડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ ઉત્રાણ પાવર હાઉસ સામે આવેલ સિલ્વર એમ્પાયરમાં દુકાન ધરાવે છે. અને તેઓની તથા બાજુમાં આવેલી તેમના મિત્ર મનોજ તથા નિમેષ ભાઈની દુકાનને અજાણ્યા ચોર ઈસમોએ રાત્રીના સમયે નિશાન બનવી ત્રણેય દુકાનોમાંથી અનુસંધાને ૫૯ હજાર, ૨ હજાર તથી ૫૦૦ ની ચોરી કરી ભાગી છુટ્યા હતાં
એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા તુટતા અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.