ગુજરાત
News of Sunday, 16th June 2019

વાવાઝોડાને લઇને કંડલા પોર્ટ વહીવટીતંત્ર સતર્ક: કંટ્રોલરૂમ કાર્યરત :તમામ જેટીઓ પર જહાજનું બર્થીંગ

દ્વારકાની ગોમતી નદીમાં કરંટ: વાતાવરણમાં ઠંડક પ્રસરી ઠંડી હવાનું જોર પણ યથાવત્

અમદાવાદ : વાયુ વાવાઝોડાએ યુ ટર્ન લીધો છે ત્યારે વાવાઝોડાને લઇને કંડલા પોર્ટ પ્રશાસન સતર્ક બન્યું છે. સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે હવમાન વિભાગના નિર્દેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જેટીઓ પર જહાજનું બર્થીંગ પણ કરવામાં આવ્યું છે.

વાયુ વાવાઝોડાની અસરને લઈ દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો હતો. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથે જ ઠંડી હવાનું જોર પણ યથાવત્ છે. કોઈ યાત્રાળું દરિયામાં ન જાય તે માટે ગોમતી ઘાટ પર પોલીસ જવાનો પણ તૈનાત રખાયા છે.

(10:26 pm IST)