News of Sunday, 16th June 2019
થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું વાવના માડકાનાપતિ પત્ની બાઇક પર આવી કેનાલમાં કુદ્યા
બે વર્ષ આગાઉ મૃતક વિરમાભાઇના લગ્ન થયા હતા: એકના એક પુત્રનું મોત થતા માતા પિતા પર આભ ફાટ્યું
બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું છે. વાવ તાલુકાના માડકા ગામના પતિ પત્નીએ બાઇક પર આવતાની સાથે જ કેનાલમાં ઝંપલાવ્યું હતુ. એકના એક પુત્રએ પત્ની સાથે કેનાલ ઝંપલાવીને આપઘાત કરી લેતા માતા-પિતા ઉપર આભ ફાટી પડ્યું હતું આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બે વર્ષ આગાઉ મૃતક વિરમાભાઇના લગ્ન થયા હતા. તરવૈયાની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા કેનાલ પર લોકો દોડી આવ્યા હતા. હાલ દંપતીએ ક્યાં કારણે આત્મહત્યા કરી છે તે જાણી શકાયું નથી.
(10:04 pm IST)