ગુજરાત
News of Sunday, 16th June 2019

SGVP ગુરુકુલમાં નૂતન રિસેપ્શન ઓફિસ પ્રવેશ પ્રસંગે વૈદિક વિધિ સાથે મહાપૂજન

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે જ નૂતન અાધુનિક રિસેપ્શન (વેલકમ) ઓફિસમાં પ્રવેશ પૂર્વે મહાપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સૌ પ્રથમ શરણાઇના સુર સાથે  ગુરુકુલ પરિસરમાં જ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ.   

  ઠાકોરજીને ઓફિસના મધ્યખંડમાં પધરાવી, આરતી કરી મહાપૂજન કરવામાં આવેલ. ત્યારબાદ   ઓફિસ વિભાગમાં સેવા આપતા તમામ કાર્યકર્તાઓ પ્રેમચંદભાઇ પટેલ, રાજેશભાઇ જોષી, ગોવિંદભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, ભાવિનભાઇ પટેલ, યોગેશભાઇ પ્રજાપતિ, પ્રવિણભાઇ પ્રજાપતિ, કરણભાઇ માલવિયા, તુષારભાઇ પંડ્યા, આશીષભાઇ ગજેરા, કૌશિકભાઇ જોષી, પ્રશાંત ચવાણ, હિતેશભાઇ કાથરોટિયાને તથા કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી અને ગુણસાગર સ્વામીને  પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ હાર પહેરાવી શુભાશીર્વાદ આપ્યા હતા.

વિદેશ વિચરણ કરી રહેલ પૂ. શા. માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ઓફિસ કાર્યકર્તાઓને શુભાશીર્વાદ આપ્યા

(1:16 pm IST)